Thursday, January 05, 2012
STATE S
અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ ભારતના ઉત્તર પૂર્વ છેડે આવેલું રાજ્ય છે. તેનું પાટનગર ઇટાનગર છે. અરુણાચલ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં સપડાયેલ બે મુખ્ય પ્રદેશોમાંનો એક છે. આવો બીજો પ્રદેશ અકસાઇ ચીન છે.
અરુણાચલ રાજ્યના જિલ્લાઓ
અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ૧૬ જિલ્લાઓ આવેલા છે.
અંજા જિલ્લો ચેંગલોન્ગ જિલ્લો પૂર્વ કમેંગ જિલ્લો પૂર્વ સિયાંગ જિલ્લો કુરુંગ કુમે જિલ્લો લોહિત જિલ્લો નિચલી દિબાંગ ઘાટી જિલ્લો નિચલી સુબનસિરી જિલ્લો પપુમપારે જિલ્લો તવાંગ જિલ્લો તિરપ જિલ્લો ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો ઉપરી સુબનસિરી જિલ્લો ઉપરી સિયાંગ જિલ્લો પશ્ચિમ સિયાંગ જિલ્લો પશ્ચિમ કમેંગ જિલ્લો
અરુણાચલ પ્રદેશનાં જોવાલાયક સ્થળો
પરશુરામ કુંડ, લોહિત જિલ્લો
પરશુરામ કુંડ પ્રભુ કુઠાર (કોઠાર)ના નામથી પણ ઓળખાય છે. આ સ્થળ ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ] રાજ્યનાલોહિત જિલ્લાની ઉત્તર-પૂર્વ દિશામાં જિલ્લાના મુખ્ય મથક તેઝુથી ર૪ કિલોમીટરના અંતરે આવેલું છે.
આ કુંડ સાથે ભગવાન પરશુરામની કથા જોડાયેલી છે. એક વાર ઋષિ જમદગ્નિનાં પત્ની રેણુકા ઋષિરાજ માટે નહાવાનું પાણી લાવવા માટે ગયા હતાં. કોઇક કારણસર એમને પાણી લાવવામાં મોડું થઇ ગયું. ત્યારે કોપાયમાન થયેલા ઋષિરાજે પરશુરામજીને પોતાની માતાનો વધ કરવા માટે કહ્યું. પિતાજીની આજ્ઞાનુસાર પરશુરામે પોતાની માતાનો વધ કર્યો હતો. પણ પછી પરશુરામજીએ માતૃવધના પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ કુંડમાં સ્નાન કર્યું હતું. ત્યારથી આ કુંડ અહીંના આસપાસના વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયો છે.
સમય આગળ વધતાં સ્થાનિક લોકોની સાથે સાથે દૂર દૂરથી આવતા પર્યટકોમાં પણ આ સ્થળ જાણીતું બન્યું છે. વર્તમાન સમયમાં આ સ્થળ લોહિત જિલ્લાની ઓળખાણ બની ગયું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં તીર્થયાત્રીઓ ૧૪ જાન્યુઆરીના દિવસે આવતા મકરસક્રાંતિ અહીં આવેલા કુંડમાં સ્નાન કરવા માટે આવે છે. અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે પર્યટકોની સુવિધા માટે અનેક સવલતો ઉપલબ્ધ કરાવી છે.
આસામ
ભાષા
આસામી,બોડો,કર્બી
રાજધાની દિસપુર
રાજ્યપાલ અજય સિંહ
મુખ્ય મંત્રી તરુણ ગોગોઇ
વિસ્તાર ૭૮૪૩૮ કિ.મી.૨
વિસ્તાર ૭૮૪૩૮ કિ.મી.૨
આસામ ઉત્તર પૂર્વી ભારતનું એક રાજ્ય છે. આસામની આજુ બાજુ બીજા બધા ઉત્તર પૂર્વી ભારતીય રાજ્યો છે. આસામમાં ભારતની ભૂટાન તથાબાંગ્લાદેશ સાથેની સરહદનો હિસ્સો છે.
આસામ રાજ્યના જિલ્લાઓ
આસામ રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે.
ઉત્તર કછર જિલ્લો ઓદાલગુરિ જિલ્લો કરીમગંજ જિલ્લો શહેરી કામરુપ જિલ્લો ગ્રામિણ કામરુપ જિલ્લો કાર્બી ઓન્ગલોન્ગ જિલ્લો કોકરાઝાર જિલ્લો ગોલાઘાટ જિલ્લો કછર જિલ્લો ગોલપારા જિલ્લો જોરહટ જિલ્લો દિબ્રુગઢ જિલ્લો ચિરાન્ગ જિલ્લો તિનસુખિયા જિલ્લો દારાંગ જિલ્લો ધુબરી જિલ્લો ધેમાજી જિલ્લો નલબારી જિલ્લો નાગાંવ જિલ્લો બક્સા જિલ્લો બારપેટા જિલ્લો બોંગાઇગાંવ જિલ્લો મારિગાંવ જિલ્લો લખિમપુર જિલ્લો શિવસાગર જિલ્લો (સિબસાગર) શોણિતપુર જિલ્લો હૈલાકાંડી જિલ્લો
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ ભારતની મધ્યમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી અક્ષરો યુ.પી. થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશનું ઉચ્ચ ન્યાયાલય અલ્લાહાબાદમાં છે, અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.
ઉત્તર પ્રદેશના જિલ્લાઓ
ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૦ જિલ્લાઓ આવેલા છે.
આંબેડકર નગર જિલ્લો આગ્રા જિલ્લો અલીગઢ જિલ્લો આઝમગઢ જિલ્લો અલ્હાબાદ જિલ્લો ઉન્નાવ જિલ્લો ઇટાવા જિલ્લો એટા જિલ્લો ઔરૈયા જિલ્લો
કન્નોજ જિલ્લો કૌશમ્બી જિલ્લો કુશીનગર જિલ્લો કાનપુર નગર જિલ્લો કાનપુર દેહાત જિલ્લો (અકબરપુર જિલ્લો) ગાજીપુર જિલ્લો ગાજિયાબાદ જિલ્લો ગોરખપુર જિલ્લો ગોંડા જિલ્લો ગૌતમ બુદ્ધ નગર જિલ્લો ચિત્રકૂટ જિલ્લો જાલૌન જિલ્લો ચન્દૌલી જિલ્લો જ્યોતિબા ફુલે નગર જિલ્લો ઝાંસી જિલ્લો જૌનપુર જિલ્લો દેવરિયા જિલ્લો પીલીભીત જિલ્લો પ્રતાપગઢ જિલ્લો ફતેહપુર જિલ્લો ફાર્રુખાબાદ જિલ્લો
ફિરોઝાબાદ જિલ્લો ફૈજાબાદ જિલ્લો બલરામપુર જિલ્લો બરેલી જિલ્લો બલિયા જિલ્લો બસ્તી જિલ્લો બદૌન જિલ્લો બહરૈચ જિલ્લો બુલન્દ શહેર જિલ્લો બાગપત જિલ્લો બિજનૌર જિલ્લો બારાબાંકી જિલ્લો બાંદા જિલ્લો મૈનપુરી જિલ્લો મહામયાનગર જિલ્લો (હથરસ જિલ્લો) મઊ જિલ્લો મથુરા જિલ્લો મહોબા જિલ્લો મહારાજગંજ જિલ્લો મિર્જાપુર જિલ્લો મુજફ્ફરનગર જિલ્લો મેરઠ જિલ્લો મુરાદાબાદ જિલ્લો રામપુર જિલ્લો રાયબરેલી જિલ્લો લખનૌ જિલ્લો લલિતપુર જિલ્લો લખિમપુર ખેરી જિલ્લો વારાણસી જિલ્લો સુલ્તાનપુર જિલ્લો શાહજહાંપુર જિલ્લો શ્રાવસ્તી જિલ્લો સિદ્ધાર્થનગર જિલ્લો સંત કબીર નગર જિલ્લો સીતાપુર જિલ્લો સંત રવિદાસ નગર જિલ્લો સોનભદ્ર જિલ્લો સહરાનપુર જિલ્લો હમીરપુર જિલ્લો, ઉત્તર પ્રદેશ હરદોઇ જિલ્લો
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરિકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે. આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, ગંગોત્રી,યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખુબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.
ઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ
ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં કુલ ૧૩ જિલ્લાઓ છે. આ માહિતી પર એક નજર.
ઓરિસ્સા
ઓડિશા ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે. ઓરિસ્સાની સીમાએ ઝારખંડ , પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વરછે. ઓરિસ્સા રાજ્ય, તેમાં આવેલા મંદિરો માટે જાણીતું છે, ખાસ કરીને પુરી અને કોણાર્ક માં આવેલા મંદીરો વિશ્વવિખ્યાત છે.
ઓરિસ્સા રાજ્યના જિલ્લાઓ
ઓરિસ્સા રાજ્યમાં કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ આવેલા છે.
અનુગુળ જિલ્લો કટક જિલ્લો કાન્ધામલ જિલ્લો કાળાહાણ્ડિ જિલ્લો કેન્દુઝઙ જિલ્લો કેન્દ્રાપડા જિલ્લો કોરાપુટ જિલ્લ ખોર્ધા જિલ્લો ગંજામ જિલ્લો ગજપતિ જિલ્લો જગતસિંહપુર જિલ્લો યાજપુર જિલ્લો ઝારસુગડા જિલ્લો દેવગઢ જિલ્લો ધેંકનાલ જિલ્લો મયુરભંજ જિલ્લો મલ્કાનગિરિ જિલ્લો નબરંગપુર જિલ્લો નયાગઢ જિલ્લો નુઆપાડા જિલ્લો પુરી જિલ્લો બરગઢ જિલ્લો બાલેશ્વર જિલ્લો બોલાંગિર જિલ્લો બૌઢ જિલ્લો ભદ્રક જિલ્લો રાયગઢા જિલ્લો સંબલપુર જિલ્લો સુન્દરગઢ જિલ્લો સોનપુર જિલ્લો
TERITORY
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
અંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડી ની દક્ષીણમાં હિંદ મહાસાગર માં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.
અંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓ છે
અંદામાન અને નિકોબાર. ૧૯૭૪ માં નિકોબાર જિલ્લાની સ્થાપના થઇ. ૨૦૦૧ માં અંદામાનની
વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષીણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.
અંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાનાં ૨૬
ટાપુપર માનવ વસવાટ છે. હુગલી નદી ના મુખથી ૯૫૦ કિ.મી. ના અંતરે આવેલા છે. મ્યાનમાર ના કેપ નેગ્રેસ થી ૧૯૩ કિ.મી. દુર છે. અંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભુમિ
(મેઇન લેંન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે.સુમાત્રા થી ૫૪૭ કિ.મી. દુર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે
અને મહત્તમ પહોળાઇ ૫૧ કિ.મી. છે. અંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ કિ.મી. ² છે.
ચંડીગઢ
ચંડીગઢ ખાતે આવેલો રોક ગાર્ડન
ચંડીગઢ (પંજાબી:) ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યોની રાજધાની છે. પણ તે પોતે આ બે માંથી એક પણ
રાજ્યનો ભાગ નથી,
તેનું સંચાલન કેન્દ્ર
સરકાર દ્વારા થાય છે.
દમણ અને દીવ
દમણ અને દીવ એ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર દમણ છે. દમણ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલું છે જ્યારે દીવ એ અરબ સાગરમાં
તેમ જ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા નજીક આવેલો ટાપુ છે.
ઇતિહાસ
આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે
આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ
હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા
હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં
આવ્યા હતા.
દમણ અને દીવના જિલ્લાઓ
દાદરા અને નગર હવેલી
દાદરા અને નગર હવેલી એ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, કે
જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સિલવાસા છે. નગર હવેલીગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં
આવેલું છે.
દાદરા અને નગર હવેલીના જિલ્લાઓ
દાદરા અને નગર હવેલી જિલ્લો દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો એકમાત્ર જિલ્લો છે.
પૉંડિચેરી
પૉંડિચરી એ ભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર પૉંડિચેરી
(શહેર) છે. પૉંડિચેરી ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં ફ્રેન્ચ સંસ્કૃતિનો વારસો જોવા
મળે છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ( મલયાલમ) દ્વીપસમુહ એ ભારત દેશનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગરકાવારત્તી નગરમાં આવેલું છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના
દરિયા કિનારાથી ૨૦૦ થી ૩૦૦ કિ.મી. જેટલા અંતરે આવેલા છે. તેમાંથી માત્ર અગિયાર
ટાપુઓ પર માનવ વસ્તી છે. ૨૦૦૧માં
થયેલી વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપની વસ્તી ૬૦,૫૯૫ છે. અહીંના બધા ટાપુઓ મળીને કુલ ૩૨ ચોરસ કિલોમીટર (૧૧ ચોરસ
માઇલ) જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. ભારતને આઝાદી મળી તે પહેલાં આ ક્ષેત્ર બ્રિટિશ
શાસનના મલબાર વિભાગના શાસનમાં આવતું હતું.
લક્ષદ્વીપ ટાપુઓનો નક્શો
લક્ષદ્વીપના મુખ્ય ટાપુઓ
અંન્દરોત ટાપુ પર પર્યટકો માટે જવાની અનુમતિ મળતી નથી.
Wednesday, January 04, 2012
Tuesday, January 03, 2012
HIMALAY
હિમાલય
હિમાલય એશિયામાં સ્થિત એક પર્વતમાળા છે. તે ભારત ઉપમહાદ્વીપને તિબેટ ઉચ્ચપ્રદેશથી અલગ પાડે છે. હિમાલયમાં કારાકોરમ અને હિંદુકુશજેવા પર્વતો પણ ગણાય છે. હિમાલયનું નામ સંસ્કૃતના શબ્દ હિમ (એટલે કે બરફ) અને આલય (એટલે કે રહેઠાણ) થી આવ્યુ છે. આ પર્વત અફઘાનિસ્તાનથી બ્રહ્મદેશ સુધી લગભગ ૧૬૦૦ માઈલ લાંબો અને ૨૦૦ માઈલ પહોળો છે. તેની સરાસરી ઊંચાઈ ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ ફૂટ છે. તેમાંનાં ૭૦ શિખરો તો ૨૪ હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંચાં છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ગૌરીશંકર ૨૯,૦૦૦ ફૂટ એટલે લગભગ ત્રણેક ગાઉ જેટલું ઊંચું છે. તેના ઉપર ચડવાને તેનસિંગ શેરપાએ યત્ય કર્યો ત્યાંસુધી તે અજેય હતું. આખી દુનિયામાં આટલું ઊંચું બીજું કોઈ સ્થળ નથી; અને તેથી જ હિમાલયને ગિરિરાજ એટલે પર્વતોને રાજા કહ્યો છે. પર્વતનાં બધાં ઊંચાં શિખરો નિરંતર બરફથી ઢંકાયેલાં રહે છે, કેમકે તે બધાં હિમરેખાથી ઊંચાં છે. હિમરેખા ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ આવે છે. કશ્મીર, નેપાળ, સિક્કિમ, દાર્જિલિંગ, ભુતાન અને બીજાં ઘણાં રાજ્યો હિમાલયની તળેટીમાં રહેલાં છે. વિવિધ ભાષા અને આકૃતિનાં માણસો ત્યાં રહે છે. તિબેટ પણ હિમાલયની તળેટીમાં છે. ઉત્તર દિશા તરફ જનારી પર્વત શ્રેણી મનુષ્યોથી અગમ્ય છે. હિમાલયમાં પ્રુથ્વીના સૌથી ઊંચા પર્વત છે. તેમાંથી એક માઉંટ એવરેસ્ટ પણ છે જે દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે.
પૌરાણિક મહત્વ
ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓ હિમાલયમાંથી નીકળે છે. હિમાલય આયુર્વેદની અનંત ઔષધિઓનો અખૂટ ભંડાર છે, વિવિધ વનરાજીના બહારનો વિભૂષિત વિસ્તાર છે. અવનિમાં ઉચ્ચતમ પદ ધારણ કરી વ્યોમમાં વાતો કરતો આર્યભૂમિનો આ એકલ કોટ અનુલ્લંઘનીય છે, અદ્વિતીય છે, અજોડ છે. હિમાલય એ શંકર પાર્વતીનું નિવાસ્થાન છે. હિમાલયની વાયવ્ય મર્યાદા સિંધુ નદી સુધી છે. મહાકવિ કાલિદાસ કહે છે તેમ તે પૃથ્વીનો માનદંડ છે. પૌરાણિક કોષમાં લખ્યા મુજબ એની પૂર્વ પશ્ચિમ લંબાઈ એંસી સહસ્ત્ર યોજન છે. પૂર્વ પશ્ચિમ બંને છેડે સમુદ્રને અડકેલો છે. અલકનંદાના સપ્ત પ્રવાહ માંહેના ગંગા નામના પ્રવાહનું મૂળ આ પર્વતમાં હોઇને તે ઉદ્ગમ સ્થળમાંથી તે કન્યાકુમારી ભૂશિર સુધી એક હજાર યોજન લંબાઈ છે. હિમાલયના મૂર્તિમાન દેવ હિમાલયને મેના સ્ત્રી હતી. તેને પેટે મેનાક, ક્રૌંચ પુત્રો અને અપર્ણા પર્ણા અને એકપર્ણા એમ ત્રણ પુત્રીઓ હતી.
CARBOUN SWARUP
કાર્બન
કાર્બન તત્વ આવર્ત કોષ્ટકની મહત્વની અધાતુ છે. કાર્બન ની આણ્વીક સંખ્યા ૬ છે. તેને "C" વડે દર્શાવાય છે. કાર્બન એ રસાયણ શાસ્ત્રમાં તથા જૈવરસાયણ શાસ્ત્રમાં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.
ઘન સ્વરૂપો
કુદરતમાં કાર્બન જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં શુદ્ધ કાર્બનના મુખ્ય બે સ્ફટિક રૂપ છે.
હીરો
આધુનિક ભાતમાં કાપેલો હીરો. આવા હીરાઓ ૨૦મી સદીમાં અત્યંત લોકપ્રિય બન્યા છે અને ઘરેણાઓમાં જડેલા જોવા મળે છે.
હીરો કુદરતમાં મળી આવતા પદાર્થોમાં સૌથી સખત પદાર્થોમાંનો એક છે. તેની સખ્તાઇને કારણે તેનો ઔદ્યોગિક ઉપયોગ વ્યાપક છે. ખાસ કરીને ખૂબ સખત ઓજારોની ધાર કાપવા માટે હીરાનો ઉપયોગ થાય છે. શુદ્ધ કાર્બનનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરાનો વક્રીભવન અચળાંક ખૂબ ઉંચો હોય છે. આ ગુણધર્મોને કારણે હીરો કિમતી કિમતી પત્થર તરીકે ખૂબ લોકપ્રિય છે અને ઘરેણાઓ માં ખૂબ જોવા મળે છે.
ગ્રેફાઇટ
ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો હીરા કરતા તદ્દન વિરોધી છે. ગ્રેફાઇટ કાળા/રાખોડી રંગનો પદાર્થ છે. તે અત્યંત નરમ હોય છે. આથી તેનો ઉપયોગ પેન્સિલની અણી માં થાય છે.
Subscribe to:
Posts (Atom)