Monday, November 11, 2013

9મી નવેમ્બરને જુનાગઢનો આઝાદી દિવસ

જુનાગઢમાં આરઝી હકુમતની સ્થાપના કરી કાયદેસર નવાબ સામે જુનાગઢવાસીઓએ લડાઇ શરૂ કરી દિધી અને સ્વાતંત્ર્યસેનાનીઓ સહિતના જુનાગઢવાસીઓના યોગદળના પરિણામે તારીખ 9મી નવેમ્બર 1947ના રોજ એટલે કે દેશની આઝાદી પછી ત્રણ મહિના અને પચ્ચીસ દિવસ પુરા 115 દિવસ પછી આરઝી હકુમત લડાઇ જીતી ગઇ અને 8 નવેમ્બર 1947ના રોજ રાતના બાર વાગ્યે દિવાન ભુત્તો કરાચી ભાગી ગયા અને જુનાગઢને આઝાદ જાહેર કરાયુ હતુ.

આમ, તા 9મી નવેમ્બરને જુનાગઢનો આઝાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરઝી હકુમતના વિજયસ્તંભનુ (બહાઉદ્દીન કોલેજ) પુજન કરવામાં આવે છે. 15 ઓગષ્ટ 1947ના રોજ અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત દેશ મુક્ત થયો હતો અને દેશવાસીઓને આઝાદી મળી હતી. પરંતુ જુનાગઢને આ દિવસે આઝાદી મળી નહોતી. જુનાગઢના નવાબે અવળચંડાઇ કરીને જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી જુનાગઢવાસીઓના જીવ અધ્ધર કરી દિધા હતા.










No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.